ગુજરાતતાજા સમાચાર

શરદોત્સવ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કમળની થીમનો શણગાર

 

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 06 ઓક્ટોબર, 2025 ને સોમવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હીરા જડિત મુકુટની સાથે દિવ્ય વાઘા ધરાવાયા છે અને કમળની થીમનો શણગાર કરાયો હતો. સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના દર્શન-આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
શરદોત્સવ નિમિતે રાત્રે 9:00 થી 11:00 દરમિયાન દાદાના દરબારમાં સંતો ભક્તોના સાન્નિધ્યમાં DJના તાલે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button